ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે આજે સવારે નિર્ધારિત સમયે PSLV XL રોકેટનો ઉપયોગ કરીને આદિત્ય L1 અવકાશયાન શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે.
63 મિનિટ 19 સેકન્ડ પછી રોકેટે આદિત્ય L1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું. અવકાશયાન 235 x 19500 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. આદિત્ય અવકાશયાન લગભગ 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) પર પહોંચશે. આ બિંદુ ગ્રહણથી પ્રભાવિત નથી, જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ મિશનનો અંદાજિત ખર્ચ 378 કરોડ રૂપિયા છે.
આદિત્ય L1 ની સફર 4 પોઈન્ટમાં જાણો
- PSLV રોકેટે આદિત્યને 235 x 19500 કિમીની પૃથ્વીની ભ્રમણકક્ષામાં છોડ્યું.
- આદિત્ય 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને 5 વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેની ભ્રમણકક્ષા વધારશે.
- આ પછી આદિત્યના થ્રસ્ટર્સ ફરીથી ફાયર કરવામાં આવશે અને તે L1 પોઇન્ટ તરફ આગળ વધશે.
- L1 પોઈન્ટની નજીક પહોંચવા માટે આદિત્ય વેધશાળા 110° સુધી આ માર્ગ પર ચાલુ રહેશે.
- થ્રસ્ટર દ્વારા આદિત્યને L1 બિંદુની ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવશે અને તે પ્રયોગ કરવાનું શરૂ કરશે.
લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) શું છે?
લેગ્રેન્જ પોઈન્ટનું નામ ઈટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ-લુઈસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ બોલચાલની ભાષામાં L1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ બિંદુઓ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે.
આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ આ સ્થાન પર રાખવામાં આવે છે તો એ સરળતાથી બંને વચ્ચે સ્થિર રહે છે અને ઓછી ઊર્જાની પણ જરૂર પડે છે. પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે.
લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) શું છે?
લેગ્રેન્જ પોઈન્ટનું નામ ઈટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ-લુઈસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ બોલચાલની ભાષામાં L1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ બિંદુઓ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે.
આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ આ સ્થાન પર રાખવામાં આવે છે તો એ સરળતાથી બંને વચ્ચે સ્થિર રહે છે અને ઓછી ઊર્જાની પણ જરૂર પડે છે. પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે.
આદિત્ય L1ના 7 પેલોડ સૂર્યને સમજશે
આદિત્ય યાન L1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદભવતાં તોફાનોને સમજી શકશે. એ લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ દ્વારા ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોનાના સૌથી બહારના સ્તરનું પરીક્ષણ કરશે.
આદિત્ય L1ના સાત પેલોડ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર એક્ટિવિટીઝની વિશેષતાઓ, પાર્ટિકલ્સના મૂવમેન્ટ અને સ્પેસ વેધરને સમજવાની જાણકારી આપશે. આદિત્ય L1 સોલર કોરોના અને એની હીટિંગ મિકેનિઝમનો અભ્યાસ કરશે.
આદિત્ય L1 સાથે 7 પેલોડ જશે
આદિત્ય L1 મિશન સાથે જે સાત પેલોડ મોકલવામાં આવશે એમાં વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VELC), સોલર અલ્ટ્રા-વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX), પ્લાઝમા એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય (PAPA) છે. સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SoLEXS), હાઈ એનર્જી L1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL1OS) અને મેગ્નેટોમીટર પેલોડ્સ.






Leave a comment