આવતીકાલે રૂ. 2000ની નોટ બદલવાનો છેલ્લો દિવસ

– 96% થી વધુ નોટો બેંકોમાં પરત આવી ગઈ

2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ પહેલા આજે એટલે કે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96% થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે.

તેમાંથી 87% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે.

RBIએ 30 સપ્ટેમ્બરે નોટો બદલવાની સમયમર્યાદા લંબાવી હતી

અગાઉ, નોટો બદલવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર હતો, પરંતુ છેલ્લા દિવસે આરબીઆઈએ તેની મુદત એક સપ્તાહ વધારી દીધી હતી. આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરીને કહ્યું હતું કે, ‘ઉપાડની પ્રક્રિયાના નિર્ધારિત સમયની સમાપ્તિ પછી, સમીક્ષાના આધારે, 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની વર્તમાન સિસ્ટમને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

2000ની નોટ 2016માં આવી હતી

2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમની જગ્યાએ નવી પેટર્નમાં રૂ.500 અને રૂ.2000ની નવી નોટો જાહેર કરવામાં આવી હતી. જો કે, આરબીઆઈએ વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રૂપિયાની નોટોનો નાશ કરાયો હતો.

1. શું નોટો બદલવા માટે કોઈ દસ્તાવેજની જરૂર છે?

ના, આ નોટો બેંકમાં જઈને કોઈપણ દસ્તાવેજ વિના સરળતાથી બદલી શકાય છે. આ અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે જેથી નોટો બદલવામાં કોઈ મુશ્કેલી ન આવે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, બેંકમાં નોટો બદલવા માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજો આપવાના રહેશે નહીં.

એક સમયે ₹ 20,000 ની મર્યાદા સુધી, ₹ 2000 ની નોટો બદલી શકાય છે એટલે કે ડિનોમીનેશનમાં બદલી શકાય છે. જો તમારું ખાતું છે તો તમે ખાતામાં 2000 રૂપિયાની ગમે તેટલી નોટ જમા કરાવી શકો છો.

2. શું ખાતા વગર કોઈપણ બેંકમાં નોટો બદલી શકાય છે?

હા. બિન-ખાતા ધારકો પણ એક સમયે કોઈપણ બેંક શાખામાં ₹20,000/- ની મર્યાદા સુધી અન્ય મૂલ્યની ₹2000ની નોટો બદલાવી શકે છે. જો તમારી પાસે ખાતું હોય તો આ મર્યાદા લાગુ થશે નહીં.

3. સામાન્ય લોકો પર સરકારી આદેશની શું અસર થશે?

જેની પાસે 2000 રૂપિયાની નોટ છે તેણે બેંકમાં જઈને તેને બદલી આપવી પડશે. 2016 ના નોટબંધી દરમિયાન, જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેને બદલવા માટે લાંબી કતારો હતી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે હજુ સુધી આવી સ્થિતિ સર્જાઈ નથી.

4. શું આ નિર્ણય સરકારની ભૂલને સુધારવાનો છે?

500 અને 1000 રૂપિયાની નોટોની અછતને પહોંચી વળવા માટે 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી જે 2016માં બંધ કરવામાં આવી હતી. જ્યારે અન્ય મૂલ્યોની નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ, ત્યારે 2018-19માં 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. એટલે કે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢવા એ સરકારની ભૂલ સુધારણા છે એવું સીધું કહી શકાય નહીં.

5. તે કોને લાગુ પડે છે?

આ નિર્ણય દરેકને લાગુ પડશે. દરેક વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ છે તેણે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકની કોઈપણ શાખામાં જમા કરાવવી પડશે અથવા અન્ય નોટો બદલવી પડશે.

Leave a comment

Trending