બેંકિંગ સિસ્ટમમાં રોકડની અછત વધી

ડિસેમ્બરમાં ડિપોઝિટના પ્રમાણપત્રો દ્વારા બેંકો દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ ૨૦૨૩-૨૪માં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે, કારણ કે રોકડ માટે સિસ્ટમ ચુસ્ત રહે છે. ભારતીય રિઝર્વ બેંકે ગત સોમવારે રૂ. ૨.૦૧ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે.

ગત સોમવારે બેંકિંગ સિસ્ટમમાં રોકડની અછત વધીને રૂ. ૨ લાખ કરોડથી વધુ થઈ હતી. બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે આ એડવાન્સ ટેક્સ જમા કરવા માટે ભંડોળ પાછું ખેંચવાને કારણે થયું છે. ડિસેમ્બરમાં એડવાન્સ ટેક્સ અને જીએસટી પેમેન્ટને કારણે કુલ રૂ. ૪ લાખ કરોડ ખેંચાયા હતા.

વર્તમાન ક્વાર્ટરમાં રોકડની સ્થિતિ મોટાભાગે ખાધમાં રહી છે. રોકડની તંગ પરિસ્થિતિને કારણે, બેંકોએ ભંડોળ એકત્ર કરવા માટે ડિપોઝિટના પ્રમાણપત્રોનો આશરો લેવો પડયો છે. ક્લિયરિંગ કર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ડેટા અનુસાર ડિસેમ્બરમાં રૂ. ૮૩,૮૭૦ કરોડની કિંમતના સીડી જારી કરવામાં આવ્યા હતા, જે વર્તમાન નાણાકીય વર્ષમાં આ સૌથી વધુ છે. માર્ચ પછી ૮ મહિનામાં સૌથી વધુ સીડી ડિસેમ્બરમાં રિલીઝ થયા છે. સીડી એ ટૂંકા ગાળાના ઉધાર સાધનો છે જેનો ઉપયોગ બેંકો દ્વારા ભંડોળ ઊભું કરવા માટે થાય છે.

બજારના સહભાગીઓ આ મહિનાના અંત સુધીમાં રોકડની તંગી ઘટવાની અપેક્ષા રાખે છે. હવેથી, તરલતાની સ્થિતિ સામાન્ય થઈ શકે છે અને બજારને આશા છે કે રિઝર્વ બેંક વીઆરઆર  હરાજી દ્વારા વધુ તરલતા દાખલ કરી શકે છે.

રિઝર્વ બેંકે ૬ મહિના પછી તાજેતરમાં વીઆરઆર  હરાજીનું આયોજન કર્યું છે. રૂ. ૧ લાખ કરોડની નોટિફાઇડ રકમના બદલામાં, સેન્ટ્રલ બેન્કને ૭-દિવસીય વેરિયેબલ રેપો રેટ હરાજીમાં રૂ. ૨.૭ લાખ કરોડની બિડ મળી હતી. બેંકોએ ૬.૬૩ ટકાના વેઇટેડ એવરેજ દરે લોન લીધી હતી. આ પહેલા, કેન્દ્રીય બેંકે છેલ્લી વખત વીઆરઆર  હરાજીનું આયોજન ૧૯ જૂને કર્યું હતું. બજારના સહભાગીઓનો અંદાજ છે કે વેરિયેબલ રેટ રિવર્સ રેપો અને સરકારી ખર્ચમાં ફેરફાર જેવા કારણોને લીધે રોકડની અછતની સ્થિતિ ઘટી શકે છે.

Leave a comment

Trending