જી.કે. જન. અદાણી હોસ્પિ.ના ઈમર્જન્સી વિભાગમાં તબીબ અને આસિ. પ્રોફ. નિમાયા

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં કાર્યવાહી સઘન બને એ હેતુસર ખાસ તબીબની નિયુક્તિ કરવામાં આવી છે. ઇમર્જન્સી મેડિસીન વિભાગ અંતર્ગત તબીબ અને આસિસ્ટંટ પ્રોફેસર  ડો.સંકેત પટેલે હવાલો સંભાળી લીધોછે.

ડો.પટેલે વડોદરામાં એમ.બી.બી.એસ. કર્યા બાદ પુણેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને તેમણે ઋષિકેશ એઈમ્સ અને જયપુરમાં સિનિયર રેસિ. અને આસિ.પ્રોફે. તરીકે ફરજ બજાવી છે.

Leave a comment

Trending