લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે એટલે આજે પોતાનો ઘોષણા પત્ર જાહેર કર્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં સોનિયા, રાહુલ, ખડગે અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી ચિદંબરમે 5 ન્યાય અને 25 ગેરંટીનું એલાન કર્યું છે. પાર્ટીના ઘોષણા પત્રમાં મજૂરોને દિવસના 400 રૂપિયા અને ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપવા અને MSPને કાયદો બનાવવાનો ઉલ્લેખ છે.
કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં યુવા, મહિલા, મજૂર અને ખેડૂતો પર ફોકસ કર્યું છે. આ બધા વર્ગો માટે વિવિધ પ્રકારની સ્કીમનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે તેમનો ઘોષણા પત્ર વર્ક, વેલ્થ અને વેલફેર પર આધારિત છે. અહીં વર્ક એટલે રોજગાર, વેલ્થ એટલે આવક અને વેલફેર એટલે સરકારી સ્કીમના ફાયદા આપવાની વાત કહેવામાં આવી છે.
કોંગ્રેસે આ પાંચ ન્યાય હેઠળ વચન આપ્યું
કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરંટી’ આપી છે. ‘કિસાન ન્યાય’ હેઠળ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP), લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. ‘શ્રમ ન્યાય’ હેઠળ શ્રમિકોને આરોગ્યનો અધિકાર આપવાનું, લઘુત્તમ વેતન રૂ. 400 પ્રતિદિન સુનિશ્ચિત કરવાનું અને શહેરી રોજગારની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમજ ‘નારી ન્યાય’ હેઠળ ‘મહાલક્ષ્મી’ ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ એક લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે.
દેશના રાજકીય ઈતિહાસમાં ‘ન્યાયના દસ્તાવેજો’ – મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે અમારા ચૂંટણી ઢંઢેરાને દેશના રાજકીય ઈતિહાસમાં ‘ન્યાયના દસ્તાવેજ’ તરીકે યાદ કરવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલતી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આના પર કેન્દ્રિત હતી. યાત્રા દરમિયાન, પાંચ સ્તંભો – યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને ભાગીદારીના ન્યાયની જાહેરાત કરવામાં આવી હતી. આ પાંચ સ્તંભોમાંથી 25 ગેરંટી બહાર આવે છે અને દરેક 25 ગેરંટીમાંથી કોઈને કોઈ ફાયદો થાય છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગોના માટે જાહેરાત
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગોના પેન્શનમાં વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ, વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને અપંગ લોકો માટે પેન્શનમાં કેન્દ્ર સરકારનું યોગદાન દર મહિને રૂ. 200 થી રૂ. 500 સુધીની છે. કોંગ્રેસનું કહેવું છે કે આ રકમ વધારીને 1000 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું રાજસ્થાન મોડલ અપનાવવામાં આવશે. કોંગ્રેસ વચન આપે છે કે પક્ષ તેમની ફરજો નિભાવતી વખતે ડોકટરો અને અન્ય આરોગ્ય વ્યાવસાયિકો સામે હિંસાના કૃત્યોને ગુનાહિત બનાવવા માટે કાયદો પસાર કરશે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર: નામ આપ્યું ‘ન્યાય પત્ર‘
અનામતની સીમા વધારવાથી લઈને 30 સરકારી નોકરી માટે કર્યા વાયદા
1. લદ્દાખમાં યથાસ્થિતિ બનાવી રાખવા પ્રયાસ કરાશે
2. મહિલાઓને સરકારી નોકરીમાં 50 ટકા અનામત આપવા બંધારણમાં સંશોધન
3. સરકારી નોકરીઓમાં કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે
4. ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસ, એસટી અને ઓબીસી વર્ગને અનામત અપાશે
5. વિદ્યાર્થીઓને જાતિના આધારે કોઈ પણ ઉત્પીડનનો સામનો ન કરવો પડે તે માટે રોહિત વેમૂલા અધિનિયમ બનાવાશે
6. વરિષ્ઠ નાગરિકો, ગંગાસ્વરૂપ બહેનો તથા દિવ્યાંગ પેંશન વધારીને 1000 રૂપિયા કરાશે
7. સ્વાસ્થ્યની સારસંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીનું કેશલેસ ઈન્શ્યોરન્સ
8. ગરીબ પરિવાર માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરાશે, કોઈ પણ શરત વિના 1 લાખ રૂપિયા અપાશે
9. રાષ્ટ્રવ્યાપી સામાજિક-આર્થિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે
10. એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટે અનામતની સીમા 50 ટકાથી વધારવામાં આવશે
11. એક વર્ષની અંદર એસસી, એસટી તથા ઓબીસી માટે આરક્ષિત પદો પર ભરતી કરવામાં આવશે
12. યુવાનોને 30 લાખ સરકારી નોકરી અપાશે
13. પેપરલીક રોકવા માટે કાયદો અને નીતિ બનાવાશે
14. આંગણવાડી વર્કર્સ, આશા કાર્યકર્તાઓ તથા મિડ ડે મિલ વર્કર્સની સેલેરી વધારવામાં આવશે
15. કામ કરતી મહિલાઓ માટે બે ગણા હૉસ્ટેલ બનાવાશે
16. ખેડૂતો માટે આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી હટાવવામાં આવશે, સ્વામીનાથન ફૉર્મ્યુલાના આધારે એમએસપી અપાશે
17. પાક નુકસાની થવા પર 30 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે વળતર
18. શ્રમિકોનું દૈનિક વેતન વધારીને 400 રૂપિયા કરાશે. મનરેગામાં પણ આ જ નિયમ લાગુ કરાશે
19. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને લાઈફ તથા એક્સિડેન્ટલ ઈન્શ્યૉરન્સ અપાશે
20. એસસી, એસટીની વસ્તી પ્રમાણે તેમના માટે બજેટ આપવામાં આવશે






Leave a comment