કચ્છમાં ભૂગર્ભિય સલવળાટના કારણે ભૂકંપના આફ્ટર શોકનો દોર આજ દિન સુધી યથાવત રહ્યો છે. છેલ્લા પાંચ દીવસમાં આજે ચોથી વખત ધરા ધ્રુજવાની ઘટના ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાઈ છે. આજે એક દિવસમાં બે વખત કચ્છની ધરા ધ્રુજી છે. આજે સોમવારના પરોઢિયે 4.45 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 34 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ ભારત- પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો લઘુ કક્ષાનો 2.6ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જ્યારે ભચાઉથી 10 કિમી દુર ઈસ્ટ નોર્થ ઈસ્ટ આંબરડી નજીક બપોરે 4:10 મિનિટે 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
સપ્તાહ દરમિયાન આવેલા આફ્ટર શોક પર નજર કરીએ તો ગત શુકવાર તા.6ના ભચાઉથી 16 કિમી દૂર ખારોઇ નજીક બપોરે 12.10 મિનિટે 3.1ની તિવ્રતાનો આફ્ટર શોક નોંધાયો હતો, જ્યારે તા. 3 જુલાઈના રણ કાંધીએ આવેલા નેર બંધડી વચ્ચેના વિસ્તારમાં 3ની તિવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો. જ્યારે આજે વાગડ ફોલ્ટ લાઈન સિવાય આંતરરાષ્ટ્રીય સરહદે ભૂકંપનો લઘુતમ સ્તરનો આંચકો નોંધાયો છે.
અત્રે નોંધીએ તો આ પૂર્વે જૂન માસની ગત 4 તારીખે રાપરના બેલાથી 44 કિલોમીટર દૂર 3.3ની તિવ્રતાનો આફ્ટરશોક વાગડ ફોલ્ટલાઈન ઉપર નોંધાયો હતો, જેના 21 દિવસ બાદ એક દિવસ પૂર્વે તા.26ના ધોળાવીરા થી 100 કિલોમીટર દૂર સરહદની સામે પાર પાકિસ્તાનમાં બપોરે 4.41 .મિનિટે 2.8ની તિવ્રતા નો આંચકો નોંધાયા બાદ એજ દિવસે એક કલાક બાદ સાંજે 5.55 મિનિટે ભચાઉથી 14 કિલોમીટર દૂર 2.7ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી હતી. લખપત થી 25 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં નોંધાયો હતો. 28 જુનના લખપત થી 25 કિલોમીટર દૂર બપોરે 3.50 મિનિટે 3.4ની તિવ્રતા ધરાવતો આંચકો સરહદ નજીક પાકિસ્તાનમાં નોંધાયો હતો.






Leave a comment