ક્રિપ્ટોકરન્સી ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી અને મોનેટરી સ્ટેબિલિટી માટે મોટું જોખમછે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.
તેમણે કહ્યું- હું ખરેખર એ અભિપ્રાય જણાવું છું કે આ એવી વસ્તુ છે જેને ફાઈનાન્શિયલ સિસ્ટમ પર હાવી થવાની મંજુરી ન આપવી જોઈએ. તે બેંકિંગ સિસ્ટમ માટે જોખમ સર્જે છે. તે એવી પરિસ્થિતિ પણ સર્જી શકે છે કે કેન્દ્રીય બેંક અર્થતંત્રમાં નાણાં પુરવઠા પરનું નિયંત્રણ ગુમાવી શકે છે.
જો સેન્ટ્રલ બેંક અર્થતંત્રમાં નાણાં પુરવઠા પર નિયંત્રણ ગુમાવે છે, તો તે બેંકિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ લિક્વિડિટીની તપાસ કેવી રીતે કરશે? સંકટના સમયે નાણાં પુરવઠો ઘટાડીને અથવા તો નાણાં પુરવઠો ગુમાવીને કેન્દ્રીય બેંક ફુગાવાને કેવી રીતે નિયંત્રિત કરી શકે છે? એટલા માટે અમે ક્રિપ્ટોને મોટા જોખમ તરીકે જોઈએ છીએ.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી માટે આંતરરાષ્ટ્રીય સમજ હોવી જોઈએ, કારણ કે લેવડ-દેવડ ક્રોસ-કન્ટ્રી છે. વ્યક્તિએ આ સાથે સંકળાયેલા મોટા જોખમો વિશે સંપૂર્ણ રીતે વાકેફ હોવું જોઈએ.
મને નથી લાગતું કે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીના સંરક્ષક તરીકે, વિશ્વભરની કેન્દ્રીય બેંકો માટે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સરકારો પણ ક્રિપ્ટોકરન્સીમાં સંભવિત જોખમો વિશે વધુને વધુ જાગૃત બની રહી છે.
દાસે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી પર સવાલ ઉઠાવનાર ભારત પહેલો દેશ હતો. G-20માં ભારતની અધ્યક્ષતા હેઠળ, ક્રિપ્ટો ઇકોસિસ્ટમ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવા માટે સંમત થયા હતા. તેમણે કહ્યું કે આ મામલે થોડી પ્રગતિ થઈ છે.
તેમણે કહ્યું- મને લાગે છે કે હજુ વધુ કામ કરવાની જરૂર છે. ભારતની નજરે, રિઝર્વ બેંકના પરિપ્રેક્ષ્યમાં, મને લાગે છે કે અમે એવી પ્રથમ કેન્દ્રીય બેંકો પૈકીની એક છીએ જેણે ક્રિપ્ટોકરન્સી વિશે તેમની ગંભીર ચિંતાઓ ખૂબ જ સ્પષ્ટપણે વ્યક્ત કરી છે.
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સૌથી પહેલા આપણે ક્રિપ્ટોકરન્સીના મૂળને સમજવું પડશે. તે સિસ્ટમને બાયપાસ કરવા માટે ઉદ્દભવી છે. ક્રિપ્ટોકરન્સીમાં પૈસાના તમામ ગુણધર્મો છે. મૂળભૂત પ્રશ્ન એ છે કે શું આપણે, સત્તાવાળાઓ તરીકે જાહેર કરાયેલી ક્રિપ્ટોકરન્સી સાથે સંતુષ્ટ છીએ.
મોટો પ્રશ્ન એ છે કે શું આપણે ક્રિપ્ટો સાથે કમેફર્ટેબલ છીએ, જેમાં ચલણ હોવાની વિશેષતા છે. અથવા અમે ફિએટ ચલણની સમાંતર ખાનગી ચલણ પ્રણાલી ધરાવવા માટે સંતુષ્ટ છીએ? દેખીતી રીતે, જો તમારી અર્થવ્યવસ્થાનો એક ચોક્કસ ભાગ અલગ થઈ ગયો હોય અને તે ક્રિપ્ટો એસેટ્સ અથવા ખાનગી ક્રિપ્ટોનું પ્રભુત્વ છે, તો કેન્દ્રીય બેંક સમગ્ર મોનેટરી સિસ્ટમ પર નિયંત્રણ ગુમાવે છે.
તેથી, આ મોનેટરી વ્યવસ્થામાં ભારે અસ્થિરતા પેદા કરશે. તે ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ મોટા પાયે અસ્થિરતા તરફ દોરી શકે છે. તેમાં મોટા જોખમો સામેલ છે, તેથી અમે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે અમારે આનો ખૂબ જ કાળજીપૂર્વક સામનો કરવો પડશે.
ક્રિપ્ટોકરન્સી એ એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી છે. તેને ડિજિટલ કરન્સી પણ કહેવામાં આવે છે. ડોલર કે રૂપિયા જેવી કરન્સીની જેમ ક્રિપ્ટોકરન્સીથી પણ લેવડ-દેવડ કરી શકાય છે.
આમાં બિટકોઈન સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે. દરેક બિટકોઈન ટ્રાન્ઝેક્શન બ્લોકચેન દ્વારા પબ્લિક લિસ્ટમાં રેકોર્ડ કરવામાં આવે છે, જે ડિસેંટ્રલાઈઝ રીતે અલગ-અલગ યુઝર્સ દ્વારા કરવામાં આવતી રેકોર્ડ મેંટેનેંસ સિસ્ટમ છે.






Leave a comment