24 જાન્યુઆરી, 2023 શોર્ટ સેલર હિંડનબર્ગના અદાણી ગ્રૂપ સામે ગંભીર આરોપો અને ત્યાર બાદ 21 નવેમ્બર,2024નો યુએસ વહીવટીતંત્રનો હુમલો. લગભગ બે વર્ષમાં બે મોટા હુમલા અને તેમાંથી અદાણી ગ્રૂપની રિકવરી. તાજેતરમાં બર્નસ્ટીને અદાણી ગ્રુપ પર આ બે હુમલાઓની અસરનું વિશ્લેષણ કર્યું છે. તેમાં એ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે અદાણી ગ્રુપે જોખમોને નિયંત્રિત કરી નોંધપાત્ર સુધારા કર્યા.
India Infra: Adani Group – What is different this time? ના નામે જારી કરાયેલા અહેવાલમાં બર્નસ્ટીને જણાવ્યું છે કે પ્રથમ હુમલા પછીના બે વર્ષમાં અદાણી જૂથનું દેવુ, ગીરવે મૂકેલા શેર, વેલ્યુએશન અને લીવરેજના પરિમાણોમાં જબરદસ્ત સુધારો થયો છે. અગાઉની સરખામણીમાં જોખમો કયા સ્તરે છે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
બર્નસ્ટીને અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટને આવરી લીધી છે. બર્નસ્ટીને કહ્યું છે કે તાજેતરની ઘટનાઓ બાદ પણ અદાણી ગ્રુપની આ ત્રણેય કંપનીઓના રેટિંગમાં કોઈ ફેરફાર થયો નથી. બર્નસ્ટીને અદાણી ગ્રૂપને ઘણા માપદંડો પર તપાસ્યા બાદ કહ્યું છે કે શોર્ટ સેલર્સના હુમલા દરમિયાન જે જોખમો હતા તેમાં મોટા પ્રમાણમાં સુધારો થયો છે.
ગીરવે મુકેલા શેર્સમાં ઘટાડો
બર્નસ્ટેઇને જણાવે છે કે શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ સામેના આરોપો દરમિયાન, ગીરવે મૂકેલા શેરો વિશે મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે તમામ કંપનીઓના પ્લેજ્ડ શેર્સમાં ઘટાડો થયો છે. બર્નસ્ટીન કહે છે કે આ એક એવો વિસ્તાર છે જ્યાં છેલ્લા દોઢ વર્ષમાં અદાણી ગ્રુપે મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
તેમણે જણાવ્યું છે કે અદાણી પાવરમાં પ્લેજ 25% થી ઘટીને 1% થઈ ગયો છે, જ્યારે અદાણી પોર્ટ્સ પાસે 17% પ્લેજ શેર હતા, જે હવે શૂન્ય થઈ ગયા છે. પ્લેજ્ડ શેરના રિડેમ્પશનમાં આટલી મોટી સફળતા મળી છે. તો બીજી તરફ સમગ્ર ગ્રૂપમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ પણ વધ્યું છે.
દેવાંમાં ઝડપથી ઘટાડો
અદાણી ગ્રૂપે પણ તેના દેવાંમાં ઝડપથી ઘટાડો કર્યો છે. બર્નસ્ટીનના અહેવાલમાં જણાવાયુ છે કે શોર્ટ સેલરની ઘટના બાદ, EBITDAમાં વધારા સાથે, જૂથનું ‘નેટ ડેટ ટુ EBITDA’ ઝડપથી સુધર્યું છે. માર્ચ 2023માં નેટ ડેટ ટુ EBITDA રેશિયો 4.4 હતો, જે સપ્ટેમ્બર 2024માં વધીને 2.7 થયો છે. આવું એટલા માટે થયું કારણ કે જેમ જેમ કામ ઝડપથી વધતું ગયું તેમ તેમ નફો પણ વધ્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપે બેંકો પાસેથી લોન લેવાને બદલે બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરવાનો માર્ગ અપનાવ્યો છે.
લોનની ચુકવણી (પુનઃચુકવણી અને ટ્રીકી લોન)
અદાણી ગ્રીન છેલ્લે નાણાકીય વર્ષ 25 માં તેના દેવાના મોટા ભાગની ચૂકવણી કરવાની હતી, જેમાં $750 મિલિયન હોલ્ડકો બોન્ડનો સમાવેશ થાય છે, જે આ ઘટનામાં તીવ્ર ઘટાડો થયો હતો. બર્નસ્ટીન કહે છે કે લોનની ચુકવણીનું શેડ્યૂલ હવે વધુ સંતુલિત છે. કંપની પાસે રૂ. 5,900 કરોડની રોકડ છે, તેથી આ વખતે ચિંતાનો વિષય જણાતો નથી.

અદાણી ગ્રુપના શેરમાં જોરદાર તેજી યાથવત્
અમેરિકી પ્રશાસનના તાજેતરના હુમલા બાદ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ આક્ષેપો 21 નવેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરોએ જોર પકડ્યું છે, તે 40%થી વધુ વધ્યા છે.
અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ 22 નવેમ્બરના રોજ ઘટીને રૂ. 11 લાખ કરોડ થઈ ગયું હતું, પરંતુ માર્કેટ કેપમાં ઘટાડો સંપૂર્ણપણે પાછો આવી ગયો છે. 19 નવેમ્બરે અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ 13.15 લાખ કરોડ રૂપિયા હતું. મંગળવારે માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.






Leave a comment