મહારાષ્ટ્રના CM ફાઈનલ થતાં જ ફડણવીસ-શિંદે અને અજિત પહોંચ્યા રાજ્યપાલ પાસે

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. આજે ભાજપના ધારાસભ્ય દળમાં મુખ્યમંત્રી અને ભાજપ દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર સર્વાનુમતિની મહોર લાગી છે. એકનાથ શિંદે અને અજિત પવાર રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે કાર્યભાર સંભાળશે. મહાયુતિના આ ત્રણેય દિગ્ગજ નેતાઓ એક જ કારમાં બપોરે 3 વાગ્યે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરી લેવામાં આવી છે. ત્રણેય નેતાઓનું એક જ કારમાં રાજભવન પહોંચવું સંકેત આપે છે કે, ત્રણેય દિગ્ગજ નેતાઓની મુખ્યમંત્રી માટે સહમતિ સાથે સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યપાલને સરકાર બનાવવાનો પ્રસ્તાવ સોંપ્યા બાદ મીડિયા કોન્ફરન્સને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ‘આવતીકાલે શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. તેમજ મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષ (ભાજપ, શિવસેના, એનસીપી)ના નેતા પણ ઉપસ્થિત રહેશે. સીએમ અને ડેપ્યુટી સીએમ પદ એ માત્ર ટેક્નિકલ પોસ્ટ છે. મહારાષ્ટ્ર માટે અમે સાથે મળીને કામ કરીશું. અન્ય મંત્રીઓની નિમણૂક આગામી બેઠકોમાં જાહેર કરવામાં આવશે.’

સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસ સ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા.

મહાયુતિ ગઠબંધનના દિગ્ગજ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, અને એકનાથ શિંદે એક જ કારમાં બપોરે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યપાલને નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સનીે સંબોધિત કરી હતી. મહારાષ્ટ્ર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે જાહેરાત કરી હતી કે, મહાયુતિ ગઠબંધનના નેતાઓ આજે બપોરે 3.30 વાગ્યે રાજ્યના ગવર્નર સી.પી. રાધાક્રિષ્ણનની મુલાકાત લેશે.

મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના 22 ધારાસભ્યો, એનસીપી(અજિત પવાર)ના 10 ધારાસભ્યો અને શિવસેનાના 12 ધારાસભ્યો મંત્રી પદે શપથ લેશે.

મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત સાથે ફરી સરકાર બનવા સજ્જ બનેલી મહાયુતિ ગઠબંધનના ટોચના પક્ષના નેતાઓ અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના સસ્પેન્સનો આજે અંત આવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટાયેલા ધારાસભ્યોએ ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના વિચાર પર સહમતિ આપી છે. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાન પર શપથ ગ્રહણ કરશે.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોની શપથ વિધી આવતીકાલે ગુરુવારે સાંજે 5.30 વાગ્યે યોજાશે. જેથી આજે મહાયુતિ ગઠબંધને રાજ્યના નવા સીએમના નામની જાહેરાત કરવી પડશે. આ સિવાય  ધારાસભ્યોના નેતાની પણ પસંદગી આજે કરશે.

મહારાષ્ટ્રમાં વિધાનભવનમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક શરુ થઈ ગઈ છે જેમાં તમામ 132 ધારાસભ્યો પહોંચી ગયા છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસની સાથે કેન્દ્રીય પર્યવેક્ષક નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી પણ હાજર છે.

Leave a comment

Trending