અમદાવાદથી ચાર શહેરને જોડતી ફ્લાઇટનો પ્રારંભ

અમદાવાદથી કોચિન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને ગુવાહાટી જવા માટે હવે આસાન બન્યું છે. આજથી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી કોલકાતા જવા માટે એક ફ્લાઈટ કાર્યરત જ હતી, હવે સાંજના સમયે બીજી ફ્લાઈટ પણ મળી રહેશે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિયો એરલાયન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ- ત્રિવેન્દ્રમ અને કોચિન, અમદાવાદ ગુવાહાટી અને અમદાવાદ કોલકાતાની સીધી ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી કોલકાતા જવા માટે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા હાલ એક ફ્લાઈટ ચાલી જ રહી છે, પરંતુ પેસેન્જરના ટ્રાફિકને ધ્યાનમાં રાખી એરલાઈન્સ દ્વારા વધુ એક ફ્લાઈટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ફરશે, જે અમદાવાદથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 4:25 કલાકે ઉડાન ભરશે અને સાંજે 7:05 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે. ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે 7:35 કલાકે ઉડાન ભરશે, જે અમદાવાદ રાત્રે 9:55 કલાકે પહોંચશે.

અમદાવાદથી કોચિન ફ્લાઇટ સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે, જે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 4:25 કલાકે ઉડાન ભરશે અને સાંજે 6:45 કલાકે કોચિન પહોંચાડશે. કોચિનથી અમદાવાદ આવવા માટે એ જ દિવસે સાંજે 7:15 કલાકે કોચિનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 કલાકે અમદાવાદ પહોંચશે.

અમદાવાદથી ગુવાહાટી જવા માટે ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ મળશે, જે અમદાવાદથી સવારે 8:30 કલાકે ઉડાન ફરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચશે. ગુવાહાટીથી અમદાવાદ આવવા માટે સાંજે 4:55 કલાકે ઉડાન ભરશે અને રાત્રે 8:35 કલાકે અમદાવાદ પહોંચશે.

કોલકાતા જવા માટે હવે અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે 9:20 કલાકે ફ્લાઈટ ઉડાન ભરશે, જે રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડશે. કોલકાતાથી અમદાવાદ આવવા માટે બપોરે 12:50 કલાકે ઉડાન ભરશે, જે બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે.

Leave a comment

Trending