ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના નવા ભાજપ પ્રમુખની જાહેરાત ભાજપે કરી દીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડી છે તેમાં હજુ પણ કેટલાક શહેર અને એક જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી, જેમ કે, વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે.
યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત સંઘ સાથેનો સબંધ પણ જોવા મળે છે. મોટાભાગના પ્રમુખ સંઘ પરિવાર, તેમની સંસ્થા કે તેમના વિચારો સાથે જોડાયેલા છે. એટલે કે ભાજપમાં આંતરીક કલેહ કે જૂથબંધી ટાળવા માટે સંઘના અગ્રણીઓ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
જાહેર કરાયેલા પ્રમુખોમાં પાંચ પ્રમુખ એવા છે જે ફક્ત ધોરણ 10 પાસ છે, જ્યારે ત્રણ પ્રમુખ ધોરણ 12 પાસ છે. બાકીના ઘણા પ્રમુખ સ્નાતક, અનુસ્નાતક છે. તો કોઈ ડબલ ડીગ્રી ધરાવે છે.
















Leave a comment