આગામી 24 અને 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી સંભાવના છે. આ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે તેવી જાણકારી ગુજરાત સરકારના સૂત્રો પાસેથી મળી રહી છે. આ મુલાકાત દરમિયાન મોદી વડનગરમાં તૈયાર થનારા મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટ હબનું ઉદ્ઘાટન કરે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઇને તેઓ અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન પણ કરી શકે છે.
આ અંગે હજુ ગુજરાત સરકારને વડાપ્રધાન કાર્યાલયમાંથી સત્તાવાર સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ આપવામાં આવ્યો નથી. પરંતુ પ્રારંભિક તબક્કે આ કાર્યક્રમને લઇને કોઇ તૈયારી થઇ શકે છે.
રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન ભાજપના નેતાઓ સાથે બેઠકની સંભાવના ગુજરાતના આ પ્રવાસ દરમિયાન 24 ઓગસ્ટે બપોર બાદ મોદી અમદાવાદ પહોંચીને ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે. અહીં મહાત્મા મંદિરમાં પણ કોઇ જાહેર કાર્યક્રમ યોજાઇ શકે છે. તેઓ રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાત સરકાર તેમજ ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે.






Leave a comment