DyCM હર્ષ સંઘવીએ કોટેશ્વર મહાદેવ મંદિર, લખપતના કિલ્લાની મુલાકાત લીધી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. જિલ્લા મથક ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું અને બાળાઓએ ફૂલોથી સ્વાગત્ કર્યું હતું. જે બાત તેઓએ માતાના મઢે પહોંચી મા આશાપુરના દર્શન કર્યા હતા, જે બાદ લખપતની મુલાકાત લીધી હતી. અહીં કિલ્લાની મુલાકાત કર્યા બાદ હર્ષ સંઘવીએ અહીંના ઐતિહાસિક ગુરુદ્વારામાં પહોંચી પ્રાર્થના કરી હતી. અહીં શીખ સમુદાય દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે બાદ કાનેર ગામની મુલાકાત લઇને પૂનરાજપર ગામમાં સભા કરી હતી. તેમજ લખપત તાલુકાના સરહદી એવા અરબ સાગર તટે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. મહાદેવના દર્શન કર્યા બાદ કપુરાસી ગામ જવા નિકળ્યા છે. અહિં તેઓ લોકો સાથે ખાટલા બેઠક કરશે. કપુરાસી ગામે તેઓ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલ સવારે ભુજ જવા માટે રવાના થશે.

નાયબ મુખ્યમંત્રી સંઘવી આજે લખપત તાલુકાના ભારત-પાકિસ્તાન સરહદ પરના ગામડાઓની મુલાકાત લેશે. તેમની સાથે 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.

નાયબ મુખ્યમંત્રીએ ભુજ બાદ 12:30 કલાકે માતાના મઢે આશાપુરા માતાજીના મંદિરે શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માતાનામઢ મંદિર જાગીર ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું ઢોલ-શરણાઇના નાદ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ લખપત તાલુકાના સરહદી ગ્રામીણ વિસ્તારોની મુલાકાતે જશે.

બપોરે 1:30આગેવાનો સાથે સભા સંબોધશે કલાકે તેઓ માતાના મઢથી લખપતના પ્રસિદ્ધ ગુરુદ્વારા જશે, જ્યાં 2:10 થી 3:00 વાગ્યા સુધી દર્શન કરશે અને શીખ સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરાશે. ત્યારબાદ, તેઓ અંતરિયાળ કાનેર ગામની મુલાકાત લઈ આગેવાનો સાથે ચર્ચા કરશે. ત્યાંથી છેર ગામ જવા રવાના થશે, જ્યાં સાંજે 5:00 વાગ્યે આગેવાનો સાથે સભા સંબોધશે.

સાંજે 6:00 વાગ્યે તેઓ કોટેશ્વર બીઓપી ખાતે જવાનો સાથે સંવાદ કરશે. રાત્રે 7:50 કલાકે કપુરાસીમાં ડિનર લીધા બાદ લોકો સાથે ‘ખાટલા બેઠક’ યોજી સભા કરશે. તેઓ કપુરાસીમાં છત વિનાના મકાનમાં રાત્રી રોકાણ કરશે.

વહેલી સવારે તેઓ ભુજ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન, સંઘવી સરહદી ગામોના સરપંચો, ગ્રામજનો, સ્થાનિક મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને સમજવાનો પ્રયાસ કરશે. ભવિષ્યમાં તેઓ રાજ્યના અન્ય સરહદી વિસ્તારોની પણ મુલાકાત લઈ શકે છે.

Leave a comment

Trending