- મુન્દ્રા પોર્ટ પરિસરમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા 3000થી વધુ વૃક્ષોના રોપાણ
- ટૂંડા ગામ ખાતે પ્રથમ તબક્કામાં 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર, જ્યારે આગામી તબક્કામાં કુલ 20,000થી વધુ વૃક્ષોનું વાવેતર
- ખાવડામાં આવેલા 10 તળાવોના ખાણેતરા અને પુનર્જીવનનું કાર્ય
વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે અદાણી ગ્રુપ અંતર્ગત કાર્યરત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ), અદાણી ફાઉન્ડેશન, અદાણી ગ્રીન એનર્જી અને અન્ય સંસ્થાઓ દ્વારા મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં વિશાળ અને બહુમુખી હરિત પહેલો હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર અભિયાન પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, જૈવવિવિધતા વિકાસ અને સમુદાય જાગૃતિને મજબૂત બનાવવાના હેતુ સાથે આયોજિત કરવામાં આવ્યું.
મુન્દ્રા પોર્ટ પરિસરમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા 3000થી વધુ વૃક્ષોના રોપાણનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં 40થી વધુ સ્થાનિક અને પ્રાદેશિક જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો પસંદગી વૈજ્ઞાનિક અભિગમથી કરવામાં આવી છે જેથી લાંબા ગાળે પર્યાવરણીય સ્થિરતા અને જૈવવિધતામાં વધારો થાય.
આ પ્રસંગે શ્રી નીતિન સૈની (કસ્ટમ કમિશનરશ્રી – મુન્દ્રા), શ્રી રક્ષિત શાહ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અદાણી પોર્ટસ), શ્રી સુજલ શાહ (CEO – મુન્દ્રા તુણા પોર્ટ), શ્રી સંદીપ ચૌધરી (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને શ્રી એસ. આર. રામાણી (ફોરેસ્ટ ઓફિસર) સહિતના માનનીય મહેમાનો હાજર રહ્યા હતા
ટૂંડા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘અદાણી વન’ નામે વિશાળ હરિત ક્ષેત્રનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું જેમાં પ્રથમ તબક્કામાં 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી તબક્કામાં કુલ 20,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે।
આ પ્રોજેક્ટ પણ મિયાવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં ઓછી જગ્યામાં વધુ ઘનતા સાથે ઝડપથી વિકસતું જંગલ સર્જાય છે. અહીં 38થી વધુ જાતની વનસ્પતિઓ—વૃક્ષો, ફળઝાડો, ઔષધીય છોડ અને વેલીઓ—નો સમાવેશ કરવામાં આવ્યો છે,
ખાવડા તાલુકાના જુણા ગામથી જળ સંરક્ષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, આ અભિયાન હેઠળ જિલ્લામાં આવેલા 10 તળાવોના ખાણેતરા અને પુનર્જીવનનું કાર્ય કરવામાં આવશે, જેનાથી, જળસંગ્રહ વધશે, ભૂ-જળ સ્તર ઊંચું આવશે, કૃષિ અને પશુપાલનને વેગ મળશે.
ઝરપરા કન્યા શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં 120થી વધુ વિદ્યાર્થીઓ એ ડ્રોઇંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પ્લાસ્ટિક ઘટાડો કેવી રીતે કરી શકાય એ બાબતે જાગૃતિ આપવામાં આવી હતી, વૃક્ષારોપણ અને પ્રકૃતિ સંરક્ષણ વિષય પર સર્જનાત્મક અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ અને ટોચના 50 વિદ્યાર્થીઓને ઇનામ તથા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ માત્ર પ્રતીકાત્મક નહિ પરંતુ કાર્બન સિક્વેસ્ટ્રેશન, માટી સંરક્ષણ અને સ્થાનિક ઇકોસિસ્ટમના પુનર્જીવન માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. ખાસ નોંધનીય છે કે આ પ્રયાસ અદાણી ગ્રુપના ચેરમેન દ્વારા જાહેર કરાયેલા “100 મિલિયન વૃક્ષારોપણ” સંકલ્પને સાકાર બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
અદાણી ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલ આ બહુમુખી પ્રયત્નો માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ લાંબા ગાળાની ટકાઉ વિકાસ યાત્રાનો ભાગ છે—જેમાં પર્યાવરણ સંરક્ષણ, સામાજિક વિકાસ અને સમુદાય સહભાગિતા મુખ્ય કેન્દ્રબિંદુ છે.





Leave a comment